લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આપણે આજે અનેક આવા બનતા કિસ્સા જોઈએ છે તો આપણે ને પણ આ જાણીને શરમ આવવી જોઈએ.અને આવા કિસ્સા તો અવાર નવાર આપણા સમાજમાં બનતા જ રહે છે.આમ આવા રેપ કેસ , છેડતી કેસ,નાની માસુમ બાળકીઓ પર રેપ,હોય કે પછી આમ ભાભી દિયરના સબંધ અથવા તો મિત્રની પત્ની સાથેના સબંધ આમ આપણા સમાજમાં આવા તો ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવતાજ હોય છે.જેને આપણે નકારી કાઢીએ છીએ.અને પછી આ કિસ્સાઓમાં કઈક સમાધાન થઈ જાય છે.કંઈક કિસ્સાઓ માં કેસ દબાવી દેવામાં આવે છે.કોઈ કેસ ઉપર સુધી પોહચે તો તેને પછી કોર્ટમાં સાબિતી ઓને ખરીદી લેવામાં આવે છે.અને આમ આવી રીતે પછી ફરીથી સમાજમાં આવા કિસ્સાઓ બને છે.આજકાલ સોશ્યિલ મીડિયા એવું માધ્યમ છે જ્યાં દરેક નાની મોટી ખબર આવતા જ ચગે છે અહીંયા અજીબોગરીબ ખબરો આવે છે, અને એવી જ વાયરલ ખબરોથી હડકંપ મચી જાય છે.આજે અમે એવી જ વાયરલ ખબરોમાં એક ખબર તમને જણાવવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે હેરાન રહી જશો.
જયારે કોઈના લગ્ન થાય છે તો દુલ્હા અને દુલ્હનની ઉંમરમાં વધુમાં વધુ 4 થી 5 વર્ષનો તફાવત હોય છે પણ અમે જે પરિણીત જોડીની વાત કરવા જઈ રહ્યા છે એમની ઉંમરમાં 40 થી 42 વર્ષનું અંતર છે.આ લગ્નમાં 65 વર્ષના વ્યક્તિએ પોતાની જ 21 વર્ષની વહુ સાથે લગ્નના ફેરા લીધા છે.એની પાછળનું કારણ જાણીને તમે દંગ રહી જશો પણ એક રીતે તો તમને પણ એવું જ લાગશે કે આ ઠીક જ થયું.65 વર્ષના વડીલે પોતાની 21 વર્ષની વહુ સાથે લગ્ન કર્યા.આ ખબર ચારેબાજુ ફેલાતા જ દરેક વ્યક્તિ હેરાન રહી ગયું અને એવું કરવાનું કારણ પૂછવા લાગ્યા.
આ વાયરલ ખબર બિહારના સમસ્તીપુર જિલ્લાની છે જ્યાં 65 વર્ષના રોશનલાલે પોતાની જ 21 વર્ષની બહુ સપના સાથે લગ્ન કર્યા.લોકોએ જ્યારે એમને સવાલ પૂછવાનું ચાલુ કર્યું તો એમણે લગ્નને મજબૂરીનું નામ આપ્યું.રોશનલાલે જણાવ્યા મુજબ આ લગ્ન એમણે મજબૂરીમાં કર્યા કે જેથી એ છોકરીના ઘરની ઈજ્જત ખરાબ ના થાય.એમાં થયું એવું કે રોશનલાલ યાદવે પોતાના દીકરા પપ્પુના લગ્ન સપના સાથે નક્કી કર્યા હતા અને જાન લઈને એ સપનાના ઘર સુધી પહોંચી ગયા પણ ત્યાં કાંઈક એવું થઇ ગયું કે રોશનલાલને આવું પગલું ભરવું પડ્યું.
લગ્નસ્થળે પપ્પુ લગ્નના દિવસે જ બધું છોડીને ભાગી ગયો.એવું એટલા માટે થયું કારણકે પપ્પુ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતો હતો.પપ્પુ રોશનલાલના ડરથી લગ્ન માટે તૈયાર તો થઇ ગયો પણ લગ્નના મંડપ સુધી ના પહોંચ્યો.કાંઈ પણ કીધા વગર લગ્ન છોડીને ભાગી જવાથી જો જાન દુલ્હન લીધા વિના પાછી ફરત તો બંને ખાસ તો સપનાનાં ઘરના લોકોની બદનામી થાત જે રોશનલાલને ખોટું લાગ્યું.બંને પરિવારની ઈજ્જત રાખવા માટે રોશનલાલે સપના સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને એમાં બંને પરિવારના લોકોએ સહમતી આપી અને એમણે સપના સાથે લગ્ન કર્યા.
હવે આ વાયરલ ખબર કેટલી સાચી છે એની તપાસ તો પોલીસ કરી જ રહી છે પણ લોકોએ છોકરીના પરિવારને જ દોષી ઠહેરાવ્યા કારણે સદીઓથી ચાલતી આવી રહેલ આ રીતમાં દોષ કોઈનો પણ હોય પરંતુ સજા તો છોકરીને જ ભોગવવી પડતી હોય છે.લોકો પોતાના મનમાં એક મત બનાવીને સપનાના ઘરના વિરુદ્ધ જેમ તેમ બોલી રહ્યા છે.ઘણા લોકોનું એવું પણ ક્હેવું છે કે વડીલ સાથે લગ્ન કરીને 21 વર્ષની છોકરીનું જીવન બરબાદ થઇ ગયું છે.
હવે પોલીસ એ વાતની રાહ જોઈ રહી છે કે છોકરી આ લગ્નને લઈને શું બયાન દર્જ કરાવે છે.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.