લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે દિવસે ને દિવસે બળાત્કાર અને દુષ્ટકર્મ ના કિસ્સા માં ખૂબ વધારો થઈ રહ્યો છે. આજે જોવા જઈએ તો મહિલાઓ સુરક્ષિત નહિ એમ કહી શકાય,થોડા સમય પહેલા પણ એક કીસ્સો આવો જ હતો જે વડોદરા નો હતો.
મળતી માહિતી મુજબ આ કિસ્સો વડગામ નો છે જ્યાં એક મહિલા એ દુષ્ટકર્મ ની એફઆઈઆર નોંધાવી છે.મહિલા નું કહેવું છે એક ત્રણ લોકો એ મારી સાથે દુષ્ટકર્મ કર્યું છે.જાણીએ આ કિસ્સા વિસે વિગતે.
મળતી માહિતી મુજબ વડગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 25 વર્ષની પરિણિતાને ગળા પર છરી મૂકી ને 3 માણસો એ એની14 મહિનાની દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ બનવા ના કારણે સમગ્ર વડગામ માં રોષ જોવા મળી રહ્યો છે.અને વધુ માં મહિલા એ જણાવ્યું હતું કે મને બળજબરીપૂર્વક ગાડીમાં અપહરણ કરી અને તેણીએ પહેરેલાં સવા અગિયાર તોલાના દાગીના કિંમત રૂપિયા 4 લાખ લૂંટી લીધા હતા અને મહિલા નું કહેવું છે કે મને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ મારી પર આચરતાં હોવાની ફરિયાદ મહિલાએ વડગામ પોલીસ મથકે નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે.આ મહિલા ને આ લોકો એ ખૂબ ખરાબ હાલત કરી છે.લોકો એ સમગ્ર ગામ આ વાત ની જ ચર્ચા ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે આ કિસ્સા માં આ જ ગામ નો એક વ્યક્તિ અન્ય બે વ્યક્તિ સાથે મળી ને એક મહિલા ના ગળા પર છરી મૂકીને કહ્યું હતું કે જો તું અમારી સાથે નહીં આવે તો તારી દીકરી ને જાન થી મારી નાખીશ એવી ધમકી આપી હતી અને આ લોકો એ આ મહિલા નું એક ગાડી માં અપહરણ કરી ને એને અગલ અલગ જગ્યા એ લઈ ગયા હતા.
મહિલા ના ના કહેવા પર આ લોકો એ એની સાથે દુષ્ટકર્મ આચર્યું હતું અને એના બધા જ દાગીના લૂંટી લીધા હતા.જેથી આ મહિલા એ વડગામ પોલીસ સ્ટેશનમાં માં ગુનો નોંધાવ્યો છે.અને તમને જણાવી દઈએ કે અહીં આવો 3 જો કિસ્સો બની રહ્યો છે.જેથી સમગ્ર ગામ માં રોષ નો માહોલ છે.
ત્યારે ગામ લોકો ની માંગ છે પોલીસ આ કિસ્સા માં વધુ તાપસ કરે છે એ નરાધમો ને પકડી પાંડે, અને આ અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સઘન પગલાં લેવામાં આવે અને અનૈતિક પ્રવૃતિ આચરતાં લોકોની શાન ઠેકાણે આવે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠી છે.લોકો નું કહેવું છે કે આવા કિસ્સા માં હંમેશા કોઈ એક્સન લેવામાં નથી આવતી કારણે કે કોઈ વાર પોલીસ પણ એમને સપોર્ટ કરતી હોય છે.ગામ ના વડીલો નું કહેવું છે કે આ પરણિત મહિલા ને ન્યાય મળવો જ જોઈએ.
નહીં તો લોકો પોલીસ પર થી જ વિશ્વાસ ઉઠી જશે.અત્રે ઉલ્લેખનીય છે કે વડગામ પોલીસ મથકે નોંધાયેલ ઉપરોક્ત ફરિયાદમાં પોલીસ દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો ઘટનાની સત્યતા બહાર આવે તેમ મનાઈ રહ્યું છે.