લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજે દરેક દેશ માં કોરોના એ કહેર વરસાવ્યો છે.અને કોરોના વાયરસ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેટલી જ ઝડપથી કોરોના વાયરસ મુદ્દે ભ્રમણાઓ પણ દેશમાં ફેલાઈ રહી છે.આજે સમગ્ર દેશ લોકો ખૂબ હેરાન થઈ ગયા છે.અને આજે સમગ્ર દેશ માં આ વાયરસ ની ખૂબ મહા મારી ચાલી રહી છે.આજે જે મહિલા ની વાત કરવાની છે એ છે કનિકા કપૂર એ આમ તો 20 માર્ચથી દવાખાનામાં દાખલ થઈ ગઈ છે.પરંતુ અત્યાર સુધી કોરોનાથી તેનો પીછો છૂટ્યો નથી.હાલમાં પાંચમો ટેસ્ટ આવ્યો છે.તેમાં પણ કનિકા કપૂરને કોરોના પોઝિટીવ આવ્યો છે.
આ રિપોર્ટ આવતાની સાથે જ પરિવાર અને ફેન્સને દુ:ખ થયું હતું.અને એનાથી બીજા લોકો માં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.પીજીઆઈના ડાયરેક્ટર આર.કે.ધિમાને કહ્યું છે કે કનિકાની તબીયતમાં ઘણો સુધારો છે.તેની હાલત અત્યારે સ્થિર છે.તેમાં કોઈ જ ગંભીર લક્ષણો જોવા નથી મળી રહ્યા.પરંતુ તેમનો પાંચમો ટેસ્ટ પણ હજુ સુધી પોઝિટિવ છે.તે પોતાના જ વોર્ડમાં દાખલ છે.ભોજન પણ લઈ રહી છે સતત પોઝિટીવ આવતી હોવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે.
તે સિવાય ડાયરેક્ટરે કનિકા કપૂરને સીરિયસ સંક્રમણ હોવાના સમાચારોને પણ ફગાવ્યા છે.અને આ વાયરસ થી બચવા લોકોનું કહેવું છે કે કોરોના વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવું છે.કોરોનાથી બચવા માટે તમારે સ્વચ્છતા તરફ ધ્યાન આપવું પડશે.ગીચ વિસ્તારોથી દૂર રહેવું સમય સમય પર તમારા હાથ ધોવાથી તમે કોરોના વાયરસથી બચી શકો છો.
હાલમાં જ કનિકા કપૂરે એક પોસ્ટ કરી હતી અને એમાં સાફ સાફ દેખાઈ રહ્યું હતું કે તેને પોતાનો પરિવાર અને બાળકો યાદ આવે છે.અને એમને કહ્યું હતું કે હું મારા બાળકો ને ખૂબ પ્રેમ કરું છું.અને લખ્યુ હતુ કે હું સુવા જઈ રહી છુ તમને બધાને મારો પ્રેમ મોકલી રહી છું સુરક્ષિત રહો.તમે મારી ચિંતા કરી એ બદલ તમારો આભાર.પરંતુ હું ICUમાં નથી.હું મારા બાળકો અને પરિવારની પાસે જવાની રાહ જોઈ રહી છું.
Corona વાયરસ ફેલાવાની સાથે જ લોકો અનેક પ્રકારના ભ્રમનો શિકાર બની રહ્યાં છે.સામાન્ય શરદી-ખાંસી અને તાવના દર્દીઓની હોસ્પિટલોમાં ભીડ લાગેલી છે.લોકોને ડર છે કે ક્યાંક તેમને Corona તો નથી આવી સ્થિતિથી બચવા માટે કોરોનાના સંક્રમણ અને સામાન્ય શરદી-ખાંસી, તાવમાં ફરક સમજવો ખૂબ જ જરૂરી બની ગયો છે.
મહત્ત્વની વાત એ છે કે ચીનમાં ઉદ્ભવેલા કોરોના વાઈરસના વિશ્વભરમાં ફેલાયેલા હાહાકાર સામે ભારતે બહુ શાંતિથી અને કુશળતાપૂર્વક કામ લીધું છે.આપણા દેશમાં આ જીવલેણ વાઈરસ ફેલાતો અટકાવવા વિમાન મથકે આવતા પ્રવાસીઓ પર જાપ્તો રાખવો જેવા ઘણા બધા કડક પગલાં લેવામાં આવ્યા છે.