લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બધાં લોકો ચાહે છે કે તે વધારેમાં વધારે ધન કમાય ,તેના માટે દિનરાત મેહનત પણ કરે છે.છતાં પણ વધારે કમાવવામાં નાકામ રહી જાય છે.તમે પણ અમીર બનવાની ઈચ્છા રાખો છો,તમારી મહેનતની સાથે સાથે નીચે બતાવેલા પણ ઉપાય પણ કરો.આ ઉપાય કરવાથી ધનલાભ પણ થશે અને લક્ષ્મીજીની કૃપા પણ બનેલી રહેશે.ધનલાભ માટે કરો આ જરૂરી ઉપાય.
પીપળાના વૃક્ષની પૂજા.
પીપળાના વૃક્ષની પૂજા અને તેના પર લાલ કે સફેદ રંગની ધજા ચઢાવાથી ધન લાભ થાય છે.તો તમે દર ગુરુવારે આ ઉપાય કરી શકો છો.
તિજોરીમાં રાખો કમળનું ફૂલ.
તમે તમારા વ્યાપારના સ્થળ પર,કાં તો ઘરમાં તિજોરીમાં કમળનું ફૂલ મૂકી દો.આ ફૂલને કોઈ લાલ કાપડમાં વીંટાળીને મૂકવું અને બીજા મહિને તેને બદલી નાખવું.કમળના ફૂલ સાથે જોડાયેલ ઉપાય શુક્રવારે જ કરવો.આ ઉપાયથી લક્ષ્મીમાં પ્રસન્ન થશે અને ધન લાભ થશે.
ઘરના ઈશાન ખૂણામાં દિપક પ્રગટાવવો.
તમે દર શુક્રવારે સાંજના સમયે ઈશાન ખૂણામાં એક દિપક પ્રગટાવવો.દિપક પ્રગટાવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે અને ધન લાભ થશે.
ઘરમાં વાવો નાગકેસરનો છોડ.
નાગકેસરના કેસરના છોડને ઘરમાં ઉગાડવામાં આવે તો તેને શુભ ગણાય છે.રોજ તેને પાણી રેડવાથી આયુમાં વૃધ્ધિ થાય છે.એટલા માટે કોઈ સારા પ્રસંગ પર તેનો છોડ તમારાં ઘરનાં આગણાંમાં વાવી દો.આના સિવાય તમે મની પ્લાન્ટ પણ વાવી શકો છો.મની પ્લાન્ટ હોવાથી ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે.
તિજોરીમાં રાખો કુબેર યંત્ર.
કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે,ઘરમાં કુબેરની મૂર્તિ ઘણું સારું માનવામાં આવે છે.એટલા માટે તમે ઘરના મંદિરમાં કુબેરની એક મૂર્તિ રાખી દો.મૂર્તિ સિવાય જ્યાં પણ તિજોરીમાં કાં તો તમે જ્યાં પૈસા મુકો છો ત્યાં કુબેર યંત્ર મૂકી દો.કુબેર યંત્ર હંમેશા ઘરમાં હોવાથી પૈસાની તંગી રહેતી નથી ,સદાય તેની બરકત બની રહે છે.
કુંવા પાસે દિપક પ્રગટાવવો.
ધનલાભની ઈચ્છા રાખવા વાળા કુંવા સામે ઘી નો દિપક પ્રગટાવવો અને કુંવા ની પૂજા કરવી જોઈએ.આ ઉપાય કારવાથી ધનમાં વૃધ્ધિ થશે.પણ ઉપાય કર્યા પછી એટલું ધ્યાન રાખો કે દિપક પ્રગટાવ્યા પછી પાછું વાળીને ન જોવું,કોઈ પણ જોડે વાત કર્યા વગર ઘરે આવી જાવ.તમે આ ઉપાયને શનિવારના દિવસે કરવો જોઈએ. આ ઉપાય પુરી શ્રદ્ધા સાથે કરશો તો જરૂર ફળ મળશે.