લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં આવા કિસ્સા ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે અને એવામાં એક બીજો કિસ્સો જોવા મળ્યો છે અને જેમાં ગરબાડા તાલુકામાં આઠ દિવસમાં જ હત્યાની બીજી એક ઘટના સામે આવી છે અને ત્યારબાદ આ એક વર્ષ અગાઉ નઢેલાવની યુવતીના લગ્ન ઝરીખરેલી ગામે થયા હતા તેવું અહીંયા જાણવા મળ્યું છે.તેમજ અહીંયા જણાવવામાં આવ્યું છે કે આ ગરબાડા તાલુકામાં એક નાનકડું ગામ એવું આંબલી ખજુરીયામા જુની અદાવતે યુવકની હત્યા થઈ હતી.તેવું જાણવા મળ્યું હતું અને જેના પડઘા હજુ સુધી શાંત નથી પડયા તેમ કહેવાય છે પણ એવામાં જ ઝરીખરેલીમાં એક પતિ એજ પોતાની પત્નીને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારવાતાં સમગ્ર પંથક ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકોપણ આ વાતનો વિશ્વાસ કરવા નથી તૈયાર.એવામાં મૃતક યુવતીના પિતા દ્વારા આ હત્યારા પતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
તેવામાં જ જ્યારે યુવતીની લાશને પોસ્ટમર્ટમ કરાવવા માટે ગરબાડાના સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી તેવું જણાવ્યું છે.તેમજ એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના આંબલી ફ્ળિયામાં રહેતા અલ્પેશભાઈ ખુમાનભાઈ ભાભોરની (નામ બદલેલ છે)પુત્રી નિકિતાબેન (નામ બદલેલ છે) અને ઉ.વ 22 ના લગ્ન એક વર્ષ પહેલા જ ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામમાં થયા હતા અને તે ગામના નિલેશભાઈ શભૂભાઈ કટારા (નામ બદલેલ છે) સાથે થયા હતા.
ત્યારબાદ જણાવવામાં આવે છે કે આ નિકિતાબેન જ્યારે પણ તેના પિતાના ઘરે આવતી હતી ત્યારે એવું કહેતી હતી કે મારો પતિ મારી સાથે પત્ની તરીકેનો સંબંધ રાખતો નથી અને કાયમ માટે તે મારાથી અલગ સુઈ જાય છે અને કહે છે કે તું મને ગમતી નથી અને મારે તને રાખવી નથી તેવું કહીને બોલાચાલી કરતો હોય તેવું જણાવ્યું છે અને તેમ છતા પણ તેના પિતા તેને પરત તેને પતિ પાસે મોકલી આપતા હતા તેવું જાણવા મળ્યું છે.
ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ શિતલ 15 દિવસ તેના પિતાના ઘરે રોકાયેલ હતી અને ત્યારબાદ જમાઈ તેને તેડવા આવેલા હતા અને જેથી કરીને આ શિતલના પરિવારજનોએ આ વખતે ભાંજગેડીયાને પણ બોલાવ્યા હતા અને તેમણે પણ આ વિશેની તમામ હકીકતની જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક દિવસના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે પણ નિકિતાએ તેના ભાઈ વિકેશ સહિત પરિવારજનો સાથે વાતચિત કરી હતી અને જેની તમામ વાતો ત્યાં કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંજે જમાઈ નિલેશનો ફેન નિકિતાનો ભાઈ વિકેશ ઉપર આવેલ હતો.
ત્યારબાદ કહ્યું હતું કે આ નિકિતાને કઈક થઈ ગયું છે અને ત્યારબાદ તેને 108 મારફ્તે તેને ગરબાડા દવાખાને લઈ જઇયે છીએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું.પણ જ્યારે આવા સમાચાર મળ્યા હતા ત્યારથી જ આ નિકિતાના પરિવારજનો તાત્કાલિક ગરબાડાના સરકારી દવાખાને પહોંચી ગયા હતા અને જ્યાં તેઓને નિકિતાની લાશ જોવા મળી હતી પણ ત્યારબાદ આ બાબતે મૃતક નિકિતાના પિતા દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતાં જ આ પોલીસે નિલેશભાઈ શભૂભાઈ કટારાની અટક કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હાલમાં તેમની આ અંગે પૂછતાછ ચાલુ થઈ ગઈ છે.