લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હલમાંજ દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક એટલે એકમાત્ર એસબીઆઈ બેન્ક મિત્રો એસબીઆઈ દ્રારા વધુ કે વખત એક એલર્ટ બહાર પડાયું છે જેને ચલતે ગ્રાહકો ને આ જાણકારી જાણી લેવી જરૂરી છે.એસબીઆઈ તેનાં ગ્રાહકોને એસએમએસ મોકલી એલર્ટ આપ્યું છે.હવે જો ગ્રાહકો બેંકની વાતનું પાલન નહીં કરે તો તેમના બેંક અકાઉન્ટને ફ્રિઝ કરવામાં આવી શકે છે એટલે કે અકાઉન્ટમાં પૈસા હોવા છતાં ગ્રાહક તેમાંથી લેણ-દેણ નહીં કરી શકે.ત્યારે આ માહિતી ને એકદમ વિગત થી જાણવી તમારા માટે ખુબજ જરૂરી છે.
આવો જાણીએ એસબીઆઈએ ગ્રાહકોને શુ જણાવ્યું છે તેના વિશે વિગતે આ વિશે વાત કરીએ બેન્ક એ કેવાયસી પૂરું કરવાનું કહ્યું છે.બેંક દ્વારા કેવાયસી પૂરું કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી ની રાખવામાં આવી છે.અને કોઈપણ સંજોગો માં તમારે આ કરવાનું રેહશે જ.જો કોઇ ગ્રાહક સમયમર્યાદા અંતર્ગત તેના દસ્તાવેજ બેંકમાં લઈ જઈને કેવાયસી પૂરી નહીં કરાવે તો તેનું બેંક અકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે.ભારતીય રિઝર્વ બેંક દ્વારા બધી જ બેંક માટે કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે.ત્યારે હવે એસબીઆઈ એ આના પર કડક પગલાં લેવાનું શરૂ કરીદીઘું છે.
મિત્રો તમને થતું હશે કે આ કેવાયસી આટલું ઈમ્પોર્ટન્ટ શા માટે છે તો આવો જાણીએ તેના વિષય પર વિસ્તાર થી.કેવાયસી કર્યા વગર રોકાણ કરવું શક્ય નથી અને તેના વગર બેંકમાં ખાતું ખોલાવવું પણ સરળ નથી.જો તમે મ્યૂચુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છતા હોય તો તમારા માટે કેવાયસી અનિવાર્ય છે.આ ઉપરાંત બેંકમાં લૉકરી સુવિધા હોય કે પછી પીએફમાંથી પૈસા ઉપાડવાના હોય આ બધી જ સુવિધાઓ માટે કેવાયસી ફરજિયાત છે.માટે તમારે વહેલી તકે કેવાયસી કરવું જરૂરી છે.
જો તમે આવું નહીં કરી શકોતો મિત્રો તમારે લેવડદેવડ ની ઘણી મુશ્કેલીઓ થશે.વધારે વાત કરીએતો ખાસ આરબીઆઇ એ ગ્રાહકોને એસએમએસ દ્રારા સમગ્ર ઘટનાં ની જાણ કરી હતી.રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બધી જ બેંકના ખાતા ધારકો માટે કેવાયસી ફરજિયાત કર્યું છે.જેને ધ્યાનમાં રાખીને એસબીઆઈએ તેના ગ્રાહકોને એસએમએસ મોકલવાના શરૂ કરી દીધા છે.અને આજ મેસેજ માં સંપૂર્ણ પણ નોંધ આપી ગ્રાહકોને એલર્ટ કરાવ્યા હતાં.
આવો જાણી લઈએ આ મેસેજ માં બેન્ક દ્રારા શુ લખાયું હતું.જેમાં લખ્યું છે ભારતીય રિઝર્વ બેંકના દિશ-નિર્દેશો અનુસાર તમારા ખાતામાં કેવાયસી દસ્તાવેજો અપડેટ કરાવવા ફરજિયાત છે.આ માટે નવા કેવાયસી દસ્તાવેજો સાથે તમારી એસબીઆઈની શાખામાં જઈને સંપર્ક સાધો.કેવાયસી પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તમારા ખાતામાં લેવડદેવડ અટકાવી શકાય છે.આ અંગેની સંપૂર્ણપણે જાણ બેન્ક દ્રારા પહેલાથી જ કરી દેવાય છે ત્યારે હવે તમારે આને અવગણના ના કરતા વહેલી તકે કેવાયસી કરાવું જોઈએ.