લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમ તો એવું કહેવાય છે કે જોડીઓ આસમાન માં બનાવવામાં આવે છે.ધરતી પર તો માત્ર મિલન થાય છે જ્યારે ધરતી પર લગ્ન થાય છે, ત્યારે આ જોડી માત્ર એક જ સમય માટે નહીં પરંતુ આગામી સાત જીવન માટે એકબીજા સાથે બંધન માં જોડાય છે. લગ્ન સમયે ધાર્મિક વિધિઓ તે વધુ વિશિષ્ટ બનાવે છે.આપણા ભારત માં બીજા દેશો કરતા રિવાજો ખૂબ અલગ છે. એક સ્ત્રી જયારે લગ્ન કરી ને પોતાની સાસરી માં જાય છે.
ભારત દેશ આસ્થાઓ અને માનતાઓ પર માને છે અને માનવામાં આવે છે કે બુધવારે છોકરીઓને પોતાના પિયરેથી સાસરે મોકલવામાં આવતી નથી.આ રિવાજ પર પ્રશ્ન પણ થતો હોય છે કે તેનું કારણ શું છે.આમ તો કહેવાય છે કે બુધવારે થયેલું કામમાં દૂર થાય છે એટલે શુભ કાર્ય કરવાની શરૂઆતમાં બુધવાર પર કોઈ નિષેધ હોતો નથી. પરંતુ સાસરેથી પિયર આવેલી દીકરીને બુધવારે પોતાના ઘરની બહાર નીકળવા દેતા નથી.
લગ્ન પછીની આ પરંપરાઓ મુજબ માનવામાં આવે છે કે બુધવારે દીકરીને સાસરે મોકવાથી તેના પર દુ:ખ આવી પડે છે.બુધવારે દીકરી સાસરે જાય તો કોઈ ખરાબ ઘટના પણ બની શકે છે. જો કોઈની બુધની દશા ખરાબ હોય ત્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ.આવું કરવાથી તમારા પર અથવા તમારા પરિવાર ઉપર મુશ્કેલીઓનો પહાડ ટૂટી પડે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવક કે લાભનો કારક ગ્રહ છે.બુધ ગ્રહની ચંદ્ર સાથે શત્રુતા છે તેથી બુધવારે કરેલી યાત્રા સફળ થતી નથી.બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતાઓ પણ વધી જાય છે.બુધવારે કોઈ શુભ કાર્ય હોય તો પણ કરવામાં આવતું નથી આ સંબંધમાં એક કથાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.
આ કથાના માધ્યમથી રસપ્રદ રીતે લોક સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે બુધવારે દીકરીને યાત્રા ન કરાવવી જોઈએ.વર્ષો જુની આ કથા કદાચ લોકોને યાદ નહીં હોય પરંતુ એ વાત બધાના મનમાં બેસી ગઈ છે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ.આ સંબંધિત કથા જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
પૌરાણિક કથા.
લગ્ન કર્યા પછી સ્ત્રીઓને બુધવારે પિયરેથી સાસરે મોકલતા નથી જો મોકલે તો એ મહિલા પર દુઃખનો પહાડ તુટી પડે છે.બુધવારની કથા આ મુજબ છે.વર્ષો પહેલાં મધુસૂદન નામનો એક સાહુકાર હતો.તેના લગ્ન સંગીતા નામની સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા.તે દિવસે બુધવાર હતો અને આ કારણે સંગીતા ના માતા પિતા એ સંગીતા ને સસુરાલ ના મોકલવાની વાત કહી. પરંતુ મધુસુદન ના માન્યો અને તે બુધવારના દિવસે જ પોતાની પત્ની ની સાથે પોતાના ઘરે જવા માટે રવાના થઇ ગયા.
મધુસૂદન અને સંગીતા બળદ ગાડામાં બેસી તેમના ઘરે જવા રવાના થઈ ગયા.થોડે દૂર પહોંચ્યા અને ગાડાનું એક પૈડું તૂટી ગયું.ત્યાંથી ગાડું છોડી બન્ને જણા ચાલતા જવા લાગ્યા.થોડે આગળ ગયા પછી સંગીતાને તરસ લાગી તો મધુસૂદન તેને એક ઝાડ નીચે બેસાડી અને પાણી લેવા ગયો.પરંતુ જ્યારે મધુસુદન પાણી લઈને સંગીતા ની પાસે પહોંચ્યા તો તેને મેળવ્યું કે તેની પત્ની તેના હમશકલ માણસ ની સાથે બેસી છે.
પોતાના હમશકલ માણસ ને દેખીને મધુસુદન ને ગુસ્સો આવી ગયો છે અને તેને પોતાના હમશકલ માણસ થી પૂછ્યું કે તો કોણ છે? મધુસુદન ના હમશકલ એ કહ્યું કે મારું નામ મધુસુદન છે. આ વાત સાંભળીને મધુસુદન ને ગુસ્સો આવી ગયો અને તેને પોતાના હમશકલ ને મારવાનું શરૂ કરી દીધું.
આ વાતને લઈને બંને વચ્ચે ખુબજ ઝઘડો થયો આ ઝઘડો જોઈ સિપાઈ ત્યાં આવી ગયા અને બન્નેને પકડીને રાજા પાસે લઈ ગયા.રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બન્નેમાંથી સાચું કોણ છે નિર્ણય ન આવતાં બન્નેને જેલમાં પુરી દેવા માટે કહ્યું.આ બંને જેલમાં પણ આ વાતને લઈને ઝઘડવા લાગ્યા માટે બંનેને અલગ અલગ જેલમાં પુરી દેવામાં આવ્યા રાજાના આ નિર્ણયથી સાચો મધુસૂદન ગભરાઈ ગયો અને આકાશવાણી થઈ કે મધુસૂદન તે બુધવારે તારી પત્નીને વિદાય કરાવી અને યાત્રા કરી એટલે બુધના પ્રકોપથી આ બધું થયું.” મધુસૂદનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભગવાન બુધની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું. ભગવાન બુધે પણ તેને માફ કર્યો અને નકલી મધુસૂદન ગાયબ થઈ ગયો.
આમ આ કથા અનુસાર બુધવારે સ્ત્રી ને સાસરે ન મોકલી જોઈએ.સામાન્ય રીતે સમાજમાં એ જ વાત થતી હોય છે કે એક સ્ત્રીનું જીવન લગ્ન પછી કેવી રીતે બદલાઈ જાય છે.હવે તમને જણાવી કે લગ્ન ના ઝગડા કેવી રીતે અટકાવવા.તમે ઘણી વાર જોયું હશે કે જયારે એક સ્ત્રી લગ્ન કરી ને સાસરે જાય છે ત્યારે એ સ્ત્રી ની સાસુના મન માં ઘણા સવાલો ઉભા થાય છેકે વહુ ના આગમન પછી વહુ નો વ્યવહાર કેવો હશે, એ મારી જોડે સારો વ્યવહાર કરશે કે નહીં આવા ઘણા સવાલો સાસુના મનમાં ઉભા થતા હોય છે અને મારી દીકરીને સારું ઘર મળશે કે નહીં.
દરેક પરિવાર પતિ પત્ની વચ્ચે ઝગડા થતા હોય તે એક સામાન્ય વાત છે પરંતુ તેને રોકવા માટે અમે તમને એક કહાની જણાવવા જઈ રહ્યા છે.એક યુવકના લગ્ન થયા હતા.ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ.નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી આ યુવાનની માતાને થોડી ચિંતા થવા લાગી આ મારા ઘરની દેખરેખ રાખશે કે નહીં.
ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી.યુવકના પિતાને થોડાક દિવસમાં જ ખબર પડી ગઇ કે વહુ આવ્યા પછી એમની પત્નિ થોડી ઉદાસ થઇ ગઇ છે.પત્નિની આ ઉદાસીનું કારણ જાણવા માટે એકવાર ઘરમાં કોઇ નહોતુ ત્યારે એ ભાઇએ પોતાની પત્નિને પુછ્યુ, હું જોઇ રહ્યો છું કે વહુના આવ્યા પછી તુ થોડી ઉદાસ થઇ ગઇ છે.આ માટે કોઇ ખાસ કારણ.
તેમને કહ્યું કે તેની પત્નીએ કઈ કહ્યું કે તને કઈ જાણવા મળ્યું તેમને જણાવતા કહ્યુ કે તમે કોઇ નોંધ લીધી.લગ્ન પછી આપણો દિકરો સાવ બદલાઇ ગયો છે. પહેલા એ મારી સાથે બેસીને વાતો કરતો પણ હવે એને મારા માટે ટાઇમ જ નથી ક્યારેક ક્યારેક જ વાતો થાય છે.જો એકાદ દિવસની રજા પડે તો વહુને લઇને એના સસરાને ત્યાં જતો રહે છે. મારા કરતા તો એની સાસુ સાથે હવે વધારે વાતો કરે છે મને એવુ લાગે છે કે આપણો દિકરો હવે અડધો એના સસરાનો થઇ ગયો છે
અને તે આપણી વાતો હવે કઈ મન પર લેતો નથી અને કઈ સાંભળતો પણ નથી બસ આ બધા વિચારોથી હું સતત બેચેન રહુ છું પેલા ભાઇએ પોતાની પત્નિનો હાથ પોતાના હાથમાં લઇને કહ્યુ તારી વાત બિલકુલ સાચી છે. હવે આપણો દિકરો પુરેપુરો આપણો નથી રહ્યો. પણ મારે તને એક વાત પુછવી છે કે આપણી આ નવી આવેલી વહુનો સ્વાભાવ સારો છે અને તે આપણા ઘરને સ્વર્ગ બનાવશે.તને એવુ લાગે છે કે આપણી વહુએ આ ઘરમાં આવીને ઘરનું વાતાવરણ બગાડી નાંખ્યુ છે છોકરાની મમ્મી બોલી ના એવું પણ નથી લાગતું વહુ એની જવાબદારી નિભાવે છે. સરખું વર્તન પણ કરે છે. મને સાસુ તરીકે માન પણ આપે છે. હમેસા હસતા મોઢે જ કામ કરે છે.
અને મારી બધીજ વાતો માને છે પરંતુ આપનો દીકરો આપણી વાત માનતો નથી મને ડર છે કે આપણા દિકરા ને પોતાનો કરી ને રાખે છે.મારા કરતા પણ વધારે સાચવે છે.આપણો દિકરો જાણે પણ એનો જ થઈ ગયો છે.છોકરાના પપ્પાએ હસતા હસતા કહ્યુ ગાંડી કોઇ બીજાની દિકરી પુરેપુરી આપણી થઇ જતી હોય તો પછી આપણો દિકરો અડધો એનો કે એના માતા-પિતાનો થાય એમાં આમ ઉદાસ થોડુ થવાનું હોય.આ વાત સાસુને બરાબર સમજી ગઈ બસ ત્યાર પછી સાસુ પોતાની વહુ સાથે દીકરી જેવું વર્તન કરવા લાગી અને બંને એકજ ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા.
આમ વ્યક્તિને પોતાના મનના વિચારો સમજવાની જરૂર હોય છે.એક સ્ત્રી પોતાનું સર્વસ્વ છોડીને આપણી થવા માટે આપણા આંગણે આવે છે ત્યારે જો આપણે પુરેપુરા નહી માત્ર અડધા પણ એના અને એના પરિવારના બનીએ તો પારિવારિક પ્રશ્નો શુ કામ ઉભા થાય.સમાજને સુધરવાની જરુર નથી.વિચારો અને અપનાવો ઘણાં ઘર તૂટતાં બચી જશે.
આવા વિચારો મૂકી દેવા જોઈએ કે નવી પરણેલી સ્ત્રી તમારા દીકરાને તમારાથી દૂર કરી દેશે.અમારો દિકરો એનો કેમ થઈ જાય એવું વિચારવા કરતા એની દિકરી અપની થઈ ગઇ એવું વિચારો તો ઘર સ્વર્ગ જેવું રહેશે સાથે સાથે દિકરી એ એનું ઘર છોડીને કરેલા ત્યાગ નું માન પણ રહેશે.જો આવી જ રીતે દરેક સાસુ પોતાના ઘરની વહુને રાખે તો સમાજમાં ઘણા ઘર તૂટલા બચી જશે અને પોતાના ઘરની દરેક સમસ્યાઓ પોતાના જ ઘરમાં હલ કરી દેવી જોઈએ.