લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઘણી વખત અચાનક જ છાતીમાં દુખાવો થાય છે અને ખૂબ જ ચિંતાનો વિષય બની જાય છે. જ્યારે અચાનક જ છાતીનો દુખાવો થાય છે એટલે લાગે છે કે હાર્ટ એટેક આવવાની અથવા તો હૃદયને લગતી કોઈ બીમારી થઈ શકે છે. છાતીમાં દુખાવો ઉપડે તો આપણે તરત જ દવાખાને જઈએ છીએ. જેનાથી છાતીમાં દુખાવામાં રાહત મળી શકે છે.
ઘણી વખત છાતીમાં ગેસ વધારે થઈ ગયો હોય તો પણ દુખતું હોય છે. અથવા તો જો શરદી થઈ હોય અને કફ થઈ ગયો હોય તો પણ છાતીમાં દુખાવો થઈ શકે છે. જો ગેસના કારણે છાતીમાં દુખાવો થયો હોય તો તરત જ થોડા તુલસીના પાન ચાવવાથી છાતીના દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત બે થી ત્રણ કાળા મરી ચાવવાથી પણ દુખાવો તરત જ રાહત થાય છે.
આ ઉપરાંત જો અચાનક જ છાતીમાં બળતરા ઉપડે તો રોજ સવારે લસણની એક કળી ખાવાથી પણ છાતીમાં થતો દુખાવો દૂર થઈ જાય છે. ઘણી વખત છાતીમાં કફ જામી જવાને કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. તે માટે જેઠીમધના મુળિયાને મોઢામાં રાખીને તેનો રસ ચૂસવાથી પણ છાતીના દુખાવામાં તરત જ રાહત થઈ જાય છે.
જો એવું લાગતું હોય કે હાર્ટ એટેક આવશે તો તમે મુદ્રાનો ઉપયોગ કરીને પણ તરત જ રાહત મેળવી શકો છો. તે માટે તમારે અપાન વાયુમુદ્રા કરવાની રહે છે. વાયુમુદ્રાથી ખૂબ જ મોટું ફાયદો થાય છે. વાયુમુદ્રા કરવા માટે પહેલી આંગળીને વાળીને તેના પર અંગૂઠો દબાવો. ત્યારબાદ બીજી બે આંગળી ને અંગૂઠા સાથે જોડી દો અને ટચલી આંગળીને સીધી રહેવા દો. આમ 15 મિનિટ સુધી કરવાથી હૃદયમાં થતો દુખાવામાં તરત જ રાહત થાય છે.