લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે બધા એક ખતરનાખ બીમારીની વચ્ચે ફસાયેલા છીએ જેથી કેઈને લોકોમાં ઘણો ભય વ્યાપી ગયો છે.આ વિશ્વવ્યાપી કોરોના વાયરસના કારણે વિનાશ સર્જાયો છે.આમ આ વાયરસને કારણે હજારો લોકોનાં મોત નીપજ્યાં છે.અને લાખો લોકો વાયરસના ચેપથી સંઘર્ષ કરી રહ્યા છે. કોરોના વાયરસથી બચવાનો એકમાત્ર રસ્તો આરોગ્ય માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ.
આમ આજે પણ આજે આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે.અને ચીનના વુહાનથી શરૂ થયેલા આ વાયરસે આજે દુનિયાના અનેક દેશોને પોતાની ચપેટમાં લીધા છે. આમ દુનિયામાં આ રોગની ઝપેટમાં 8 લાખથી વધુ લોકો આવી ચુક્યા છે.અને આમાં તો 45 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચુક્યા છે. આમ આની પેહલા પણ ઘણા સમય પહેલા થયેલ 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લૂની યાદો તાજી થઈ રહી છે.
આમ આ ફ્લૂથી દુનિયાભરમાં ભયંકર તબાહી મચાવી હતી.આ યૂરોપથી શરૂ થયેલા આ વાયરસે દુનિયાના અનેક દેશોને પોતાના નિશાન બનાવ્યા હતા.અને ભારત પણ તેમાંથી બાકાત નહોતું રહ્યું.આમ આ ફ્લૂથી ભારતમાં લગભગ 2 કરોડ લોકોનાં મોત પણ થયા હતા. આ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેની ચપેટમાં આપણા લોક લાડીલા નેતા ઈવા મહાત્મા ગાંધી પણ આવી ગયા હતા. અને તેઓ અનેક મહિનાઓ સુધી પથારીમાં પડી રહેલા મહાત્મા ગાંધીના સ્વાસ્થ્ય માટે સૌ કોઈ ચિંતિંત થઈ ગયા હતા.
તો ચાલો તમને જણાવીએ કે આ મહામારીએ ભારતમાં કઈ રીતે પગ પેસારો કર્યો હતો. આમ તો 1918માં દુનિયામાં સ્પેનિશ ફ્લૂ એ આતંક મચાવ્યો હતો.આ વાયરસે કારણે દુનિયાના અનેક દેશોને પોતાના નિશાન બનાવ્યા હતા.જેમાં ભારત પણ આવી ગયું હતું. ભારતમાં પણ આ વાયરસે ઘણો કહેર વર્તાવ્યો હતો. આ ફ્લૂની ચપેટમાં આવીને 2 કરોડ ભારતીયોના મોત થઈ ગયા હતા. અને ફ્લૂની ઝપેટમાં વધારે પડતી મહિલાઓ જ આવી હતી.
તેનું કારણ એ છે કે મહિલાઓ જ બીમાર પુરુષોની સાર સંભાળ કરી રહી હોવાથી આવું બન્યું હતું.એવામાં તે સરળતાથી ઝપેટમાં આપી જતી હતી.આમ આ ગુજરાતના સાબરમતી આશ્રમમાં રહેતા મહાત્મા ગાંધી અને અન્ય લોકો પણ આ ખતરનાક ફ્લૂની ચપેટમાં આવી ગયા હતા. આમ મહાત્મા ગાંધીની તબિયત આ ફ્લૂના કારણે ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.અને તેઓ અનેક મહિનાઓ સુધી પથારીમાં પડ્યા રહ્યા હતા. તેમણે તેમનું ડાયેટ પણ લિક્વિડ કરી દીધું હતું.અખબારોમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક ખબરો આવતી હતી.
પરંતુ ઘણા સમય સુધી લોકોથી અલગ રહ્યા બાદ ધીમે ધીમે તેમણે આ બીમારીથી છુટકારો મેળવ્યો હતો.આમ આશ્રમમાં ફ્લૂ પીડિતોને સૌથી દૂર રાખવામાં આવ્યા હતા. અને આ સ્પેનિશ ફ્લૂના કારણે ભારતના મહાન કવિ નિરાલાના પત્ની અને અનેક સંબંધીઓનો જીવ પણ જતો રહ્યો હતો.તેમણે પોતાનું દર્દ વર્ણવતા કહ્યું હતું કે આ મહામારીના કારણે તેમની આંખોની સામે જ બધુ ગાયબ થઈ ગયું.આમ આ મહામારીની સ્થિતિ એટલી ભયંકર હતી કે ગંગા નદી પણ લાશોથી ઢંકાઈ ગઈ હતી.
કારણ કે એ સમયે મોત થવા પર લોકો લાશોને નદીમાં વહાવી દેતા હતા.અને આ મોતનો આંકડો એટલો વધારે હતો કે સ્મશાન ઘાટમાં લાકડાઓ ખૂટી પડ્યા હતા.આમ અનેક શહેરો ફ્લૂથી વેરાન થઈ ગયા હતા.આ રીતે બીબીસીમાં છપાયેલા અહેવાલો પ્રમાણે 1918 માં આ ફ્લૂના કારણે ભારતમાં દરરોજ 230 લોકોના મોત થતા હતા.અને આ ફ્લૂએ ભારતમાં થોડા જ મહિનાઓમાં 2 કરોડ લોકોના જીવ લઈ લીધા હતા.જે એક ભારત માટે ખતરનાખ નજારો હતો.