લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો આજે આપણે એક ખુબજ મોટી મહામારી માંથી પસાર તજી રહ્યા છીએ.જેને લઈને આપણી સરકાર ખુબજ ચિંતિત પણ છે.અને આ મહામારી સામે લડવા માટે આપણે ને સરકાર દરેક રીતે મદદ પણ કરી રહી છે.જેથી કરીને જે આ સરકારે લોકડાઉન જાહેર કર્યું છે.તેમાં લોકોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટે તેમને દરેક જાતની વ્યવસ્થા પણ કરી છે.વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે, તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે અને તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે.ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે.બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે.
જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.આમ આથી દરેક નાનામાં નાનો માણસ પણ કોઈ તકલીમાંથી ના પસાર થાય.તે માટે તેમને અનાજ ,શાકભાજી અને બીજી ઘણી બધી વસ્તુઓ દુકાનો ખુલી રાખવાનું પણ જાહેર કર્યું છે.અને તેમને અનાજ ફ્રી પણ આપ્યું અને ગેસ સિલિન્ડર પણ મફત આપી રહી છે.ગુજરાતમાં હવે પ્લાઝમા થેરાપી વડે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે.આ માટે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ચૂકેલી અમદાવાદની સ્મૃતિ ઠક્કરે આ માટે પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે.હવે તેના બ્લડમાંથી પ્લાઝમા અલગ કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરવામાં આવશે.આઈસીએમઆર દ્વારા અમદાવાદને પરમિશન આપી દેવામાં આવી છે.
અને આવતીકાલ એટલે કે રવિવારથી પ્લાઝમા થેરાપીની સારવાર શરૂ કરવામાં આવશે.સ્મૃતિની આ બહાદૂરી સાચેમાં બિરદાવા લાયક છે.સ્મૃતિના પ્લાઝમા વડે અન્ય કોરોનાગ્રસ્ત દર્દીઓનો જીવ બચાવવામાં સફળતા મળશે.અને જો પ્લાઝમા થેરાપી સફળ થશે તો ગુજરાત આમ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે.અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સ્મૃતિએ બ્લડ ડોનેટ કર્યું હતું.અને અહીં જ કદાચ પ્લાઝમા થેરાપીનો પ્રયોગ કરવામાં આવી શકે છે. આ માટે આઈસીએમઆર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.નોવેલ કોરોના કોવિડ-૧૯ના ચેપથી પીડાતા વેન્ટિલેટર ઉપર રહેલા દર્દીઓને પણ પ્લાઝમાં થેરપીથી સારવાર આપી શકાય તેમ છે.
કેરળને પગલે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવમાંથી વાઇરલ લોડ ઘટીને બબ્બે વખત નેગેટિવ રિપોર્ટ બાદ સાજા થઈ ઘરે પહોંચેલા વ્યક્તિના લોહીમાંથી પ્લાઝમાં છૂટા કરીને સારવાર આપવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે આવી જ ટ્રાયલ માટે દિલ્હી સરકારે પણ તૈયારી કરી છે.આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતી રવિએ શુક્રવારે સવારે જણાવ્યુ કે પ્લાઝમાં થેરપીમાં જેઓ કોવિડ વાઇરસ સામે લડીને તંદુરસ્ત થઈને બહાર આવ્યા છે તેમના કોષ ક્રિટિકલ સ્થિતિ રહેલા દર્દીમાં દાખલ કરીને વાઇરલ લોડનું જોખમ ઘટાડી શકાય છે.કોરોના વાઇરસ સામે લડીને રિકવર થયેલા દર્દીના લોહીમાં ઇન્ફ્ેક્શન સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ બને છે.તેનો ઉપયોગ બીજા દર્દી માટે કરવા અમદાવાદ સિવિલના મેડિસિન ડિપાર્ટમેન્ટના.
ડો. કમલેશ ઉપાધ્યાય મારફ્તે ICMRને રજૂઆત કરવામાં આવી વ્યક્તિના લોહીમાં રક્તકણ, શ્વેતકણ ઉપરાંત પણ અનેક પ્રોટિનયુક્ત સહિતના દ્રવ્ય હોય છે.વાઈરસ સામેની રોગપ્રતિકારક શક્તિ અને ખાસ કરીને વાઈરસના એન્ટીજનએ મૂળ તો પ્રોટિન્સ છે. હિમોગ્લોબિન, આયર્ન વગેરે ઉપરાંત ઓક્સિજનના તત્ત્વો રક્ત-શ્વેત કણોમાં હોય છે.જ્યારે પ્લાઝમામાં પ્રોટિન્સ હોય છે. આ સેપરેટ કરી શકાય છે.વળી જે દર્દીને મોટા પાયે રક્તસ્રાવ થયો ન હોય તેને હોલ બ્લડ આપવું હિતાવહ નથી હોતું પરિણામે કોરોના પોઝિટિવ દર્દીને માત્ર પ્લાઝમા આપવાથી પ્રોટિનજન્ય એન્ટીજન તેના શરીરમાં દાખલ કરી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ થઈ શકે છે.
મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.