લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે.
માં મોગલના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે.મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે.માં મોગલ ના મંદિરમાં કોઈ દિવસ ઊંચનીચના ભેદભાવ કરવામાં આવતો નથી.દરેક લોકોને એક સરખા માની ને મોગલ ના મંદિર માં જવા દેવામાં આવે છે.
માં મોગલ એ પોતાના પરચા અનેકવાર શ્રદ્ધાળુ ઓને બતાવ્યા છે. અને મા મોગલ ના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાંથી લોકો આવતા હોય છે.થોડા સમય પહેલા એક યુવક 21 હજાર રૂપિયા લઈને કાબરાઉ માં મોગલની માનતા પુરી કરવા માટે આવ્યો અને મણિધર બાપુને હાથમાં 21 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે ઘણા સમયથી મારું અધૂરું કામ માં મોગલે પુરી કરી દીધું છે.
એટલા માટે હું મારી માનતા પુરી કરવા માટે આવ્યો છું. યુવકે કહ્યું કે ઘણા સમયથી મારુ એક કામ અધૂરું હતું અને પૂરું નહતું થતું માટે મેં મોગલમાં પાસે માનતા માંગી હતી કે માં મારુ જો આ અટકી ગયેલું કામ પૂરું થઇ ગયું તો હું કાબરાઉ આવીને 21 હજાર રૂપિયા ચઢાવીશ.
યુવકની માનતા પૂરી થઇ ગઈ તો તે તરત જ ત્યાં આવી પહોંચ્યો હતો.અને 21 હજાર રૂપિયા મણિધર બાપુને આપ્યા ત્યારે બાપુએ તેને કહ્યું તારું કામ પૂરું થયું એ કોઈ ચમત્કાર નથી. માં મોગલ તમારા વિશ્વાસના કારણે તમારું કામ પુરુ થયું છે. આ 21 હજાર રૂપિયા તારી બેનને આપી દેજે માં મોગલ તારી પર રાજી થશે. માં મોગલે તારી બધી ઈચ્છાઓ પૂરી કરશે.
આવોજ એક પરચો જેમાં થોડા સમય પહેલાં મોગલ ના ધામમાં એક સાબરકાંઠાની મહિલા આવી હતી. આ મહિલા ને માતા બનવાનું સુખ આજ સુધી પ્રાપ્ત થયું ન હતું અને તેને અનેક વાર સારા ડોક્ટરોને બતાવ્યું હતું અને પાણીની જેમ પૈસા વાપર્યા હતા પરંતુ તેને યોગ્ય નિદાન ન મળતા તે ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી પરંતુ તેના મીત્ર દ્વારા તેને માં મોગલ ની માનતા રાખવાનું જણાવ્યું હતું.ત્યારે આ મહિલાએ મા મોગલ ની માનતા રાખી હતી.
થોડા સમય બાદ તેના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો આ વાતે ખુશ થઈને તેને યથાશક્તિ પ્રમાણે માં મોગલ ના મંદિરે આવીને પૈસા ચડાવ્યા હતા અને મણીધર બાપુ આ પૈસામાં 20 રૂપિયા ઉમેરીને પૈસા મહિલા ને પાછા આપ્યા હતા અને જણાવ્યું હતું કે માં મોગલ ઉપર સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખજો માં મોગલ તમને કોઈ દિવસ દુઃખી નહીં થવા.