લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
રાજ્યમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 84 લોકો સંક્રમિત થયા છે.તથા કોરોનાથી અત્યાર સુધી રાજ્યમાં 6 લોકોના મોત થયા છે.ગુજરાતમાં કોરોના વાયરસના વધુ બે પોઝિટિસ કેસ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 84 પર પહોંચી ગયો છે.આજે જામનગરની લેબમાં કુલ 9 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા.જેમાંથી બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ બંન્ને કેસ પોરબંદરના છે.એક 27 વર્ષીય યુવતી અને 42 વર્ષના યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે.તેમજ રાજ્યમાં સારવાર બાદ 6 લોકો સ્વસ્થ થયા છે.ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે.અમદાવાદમાં કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે.
તેમાં રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 82 પર પહોંચ્યો છે.તથી કેન્દ્ર સરકારે અમદાવાદને કોરોનાનું હોટસ્પોટ જાહેર કર્યું છે.પોરબંદર જિલ્લામાં કોરોનાના 3 કેસ આ બે નવા કેસની સાથે પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 પર પહોંચી ગઈ છે.અત્યાર સુધી પોરબંદરમાં એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.
રાજ્યમાં ક્યા જિલ્લામાં કેટલા કેસ.અમદાવાદ 31 કેસ 4 રિકવર 3ના મોત, વડોદરા 9 કેસ 1 રિકવર, સુરત 10 કેસ, 1 મોત, 1 રિકવર, રાજકોટ 10 કેસ, ગાંધીનગર 11 કેસ, ભાવનગર 6 કેસ, 2 મોત, પોરબંદર 3 કેસ કચ્છ મહેસાણા, 1-1 કેસ ગીર સોમનાથ, 2 કેસ.