લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લગ્ન એ એક એવી પરંપરા છે કે જેને દરેક વ્યક્તિ નિભાવે છે અને લગ્ન એ ધીરજ અને વિશ્વાસ માંગી લે છે અને કહેવાય છે કે ભારતમાં છોકરો કે છોકરી 19 કે 20 વર્ષના થાય એટલે તેમના મા બાપને બાળકોને પરણાવવાની ચિંતા થવા માંડે છે અને તે લોકો લગ્ન કરાવવા માટે દોડ ધામ કરે છે અને આવી ઘણીબધી કોશિશ કરવા લાગે છે.
દરેક વ્યક્તિના નસીબમાં પરણવાનો એક યોગ્ય સમય અને યોગ્ય દિવસ લખાયેલો હોય છે અને જે બધા જ વ્યક્તિના નસીબમાં હોય છે તો આજે અમે તમને તે જ જણાવવા જઇ રહ્યા છીએ કે તમારે કેટલી ઉંમરમાં લગ્ન કરવા જોઈએ.કહેવામાં આવે છે એ તમારી રાશિ પરથી અંદાજો બાંધી શકાય છે કે આ તમારી પરણવા માટેની સાચી ઊંમર શું છે તે તમને આ રાશીઓમાં બતાવીશું અને આ વાંચીને તમને પણ અંદાજો આવી જશે કે તમારે જીવનના કયા મુકામ પર જીવનસાથીની પસંદ કરી અને લગ્નના બંધનમાં બંધાઈ જવું જોઈએ અને તમારે આ પરંપરા મુજબ લગ્ન જરૂર કરવા જોઈએ.
મેષ રાશિ
કહેવામાં આવે છે કે મેષ રાશિના જાતકોમાં ધીરજનો સદંતર અભાવ હોય છે અને જેના કારણે ઘણા મેષ રાશિના જાતકો લાઈફમાં વહેલા લગ્ન કરી લેવાની ઉતાવળ કરતા હોય છે પણ આવા લોકો જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ મેષ રાશિના જાતકોએ તેઓ 19 કે 20 વર્ષની ઉંમરે જ લગ્ન કરી લેવા જોઈએ અને તેમણે આ પહેલા લગ્ન ન કરવા જોઈએ અને જો તમે આમ કરશો તો કદાચ એ તમારા જીવનની મોટી ભૂલ થઈ છે તેમ કહેવાશે.
વૃષભ રાશિ
મેષથી સાવ ઊંધુ વૃષભ થાય છે અને આ રાશિના જાતકો ધીરજવાન હોય છે તેવું માનવામા આવે છે અને આ રાશિના જાતકોને લગભગ 26 વર્ષની ઉંમર પછી સાચો હમસફર મળવાની શક્યતા છે અને તેથી જ આ લોકોએ વૃષભ રાશિના લોકોએ 26 વર્ષ પછી જ લગ્નનો વિચાર કરવો જોઈએ અને જો આ લોકો વહેલા લગ્ન કરશે તો તેમણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો કમિટમેન્ટ આપતા ગભરાય છે. તેઓ ઘણા કન્ફ્યુઝ્ડ હોય છે અને તેઓ પાટલી બદલતા રહે છે.આ લોકોને લગ્ન કરવાની વધારે ઈચ્છા હોતી નથી પમ આ લોકોને જો લગ્ન કરવા છે તો તેમણે પણ લગ્ન કરવાનો નિર્ણય ઉતાવળે ન લેવો જોઈએ. 29 વર્ષ બાદ જ્યારે કોઈ યોગ્ય જીવનસાથી મળે ત્યારે જ તેમણે પ્રભુતામાં પગલા પાડવા જોઈએ.આ સિવાય તેમણે લગ્ન વહેલા ન કરી લેવા જોઈએ.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો 19 વર્ષની વયે જ કોઈના પ્રત્યે આકર્ષાઈ જાય છે અને આ લોકો લગ્ન કરવાનું વિચારી લેતા હોય છે પણ તેમને આવ ન કરવું જોઈએ અને જો બધું ઠીકઠાક ચાલે છે તો પછી તેઓને નાની વયે પરણી પણ જાય છે.પણ ખરેખર આવું ન કરવું જોઈએ અને જો કર્ક રાશિના જાતકોને ખરેખર સારો લાઈફ પાર્ટનર જોઈતો હોય તો તેમણે 24 વર્ષ પછી જ લગ્ન કરવા જોઈએ અને જો આ લોકો વહેલા લગ્ન કરશે તો તેમણે તેમાં ઘણી નિસફળતા મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો લોન્ગ ટર્મ રિલેશનશીપમાં વધુ રસ હોય છે અને આવા લોકો વહેલા લગ્ન કરવાનું વિચારી લેતા હોય છે પણ તેઓએ પોતાની લાઈફમાં ઘણા તફાવત જોયા હોય છે અને તે પોતાની લાઈફમાં વ્યસ્ત થઈ જાય છે અને તેમને લાઈફમાં બધુ જ સારુ પરંતુ મોડે મોડેથી મળે છે.તો આ લોકોએ વહેલા લગ્ન કરવા જોઈએ અને આવા ઘણા કિસ્સામાં 35 વર્ષની વય પછી આ રાશિના જાતકોને સાચા જીવનસાથી સાથે મુલાકાત થાય છે તો લગ્ન કરવામાં બિલકુલ ઉતાવળ ન કરવી જોઈએ.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને સારી પેઠે ખબર હોય છે કે તેમને જીવન પાસેથી શું અપેક્ષા છે. તો આ લોકો લગ્નની આશા રાખ્યા વગર જ રહેતા હોય છે એ આ વાત રિલેશનશીપમાં પણ લાગુ પડે છે અને કહેવાય છે કે તેઓ ઠરેલ હોય છે અને રિલેશનશીપને સારી રીતે સાચવી શકે છે અને આથી જ આ કન્યા રાશિના જાતકોએ 23 થી 25 વર્ષની વયે લગ્ન કરવા જોઈએ અને જો આ લોકો મોડા લગ્ન કરે છે તો તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે તો તેમણે સમજી અને જણાવ્યા પ્રમાણે લગ્ન કરશે તો સારું રહેશે.
તુલા રાશિ
આ રાશિના જાતકો ધીરજવાન હોય છે અને તેમણે લગ્ન કરવાની કોઈ પડી જ નથી હોતી અને તેઓ સાદાઈમાં માને છે આ લોકો વધારે એકલા રહેવાનું પસંદ કરે છે અને રિલેશનશીપ એન્જોય કરે છે અને લગ્ન કરવાનો કોઈ એમને શોખ નથી હોતો. આ રાશિના જાતકો 20 કે 25 વર્ષ સુધી લગ્ન કરે તો તેઓ રિલેશનશીપ અને મેરેજ બંનેને સારી રીતે એન્જોય કરી શકે છે પણ આ લોકોએ બતાવ્યા મુજબ જો લગ્ન કરે છે તો તેમના માટે ઘણું સારું રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો સ્વભાવે ખૂબ જ પોઝીટીવ હોય છે અને આ લોકો ખૂબ જ ઉદાસ પણ હોય છે અને આથી જ આ રાશિના લોકો નાની ઉંમરે લગ્ન કરી લેતા હોય છે તો ખરેખર આ રાશિના જાતકોએ આવું ન કરવું જોઈએ અને તેમને ઘણી મુસીબતોનો સામનો કરવો પડે છે અને તેમનું લગ્નજીવન સુખરૂપે નથી ચાલી શકતું. આ લોકો લગ્ન કર્યા પછી ઘણા પછતાય છે અને તેમને લગ્ન સંબંધને સમજવા માટે સમય જોઈએ છે અને કહેવાય છે કે આથી જ વૃશ્ચિક રાશિ હોય તેમણે 31 વર્ષ પછી જ લગ્ન કરવા જોઈએ.
ધન રાશિ
ધન રાશિના જાતકોને સ્પેસ જોઈએ છે અને તેઓ પોતાના જીવનને સમજવામાં જ ખૂંપેલા રહે છે.આથી જ નાની ઉંમરે લગ્નનું બંધન આ રાશિના જાતકોને ગમતું નથી.આથી આ રાશિના જાતકોએ 37 વર્ષ પહેલા બિલકુલ લગ્ન ન કરવા જોઈએ કારણ કે જો આ લોકો પહેલા લગ્ન કરે છે તો પછી આ લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ જાય છે માટે આ લોકોએ વહેલા લગ્ન ન કરવા જોઈએ અને જેમને 37 વર્ષ પછી જ લગ્ન કરવા જોઈએ.
મકર રાશિ
મકર રાશિના જાતકો 25 થી માંડીને 48 વર્ષ સુધી જીવનના ગમે તે પડાવ પર લગ્ન કરે તો આ લોકો સફળ જ રહે છે અને આ લોકો ખૂબ જ દયાળુ પણ હોય છે અને તેઓ ગમે તેવી પરિસ્થિતિમાં સફળ જ જાય છે.તેમને જીવનના જે તબક્કે એવું લાગે કે તેઓ સેટલ થવા માંગે છે કે તેઓને પછી બીજી કોઈ ઉપાધિ ના રહે પણ તેમને 25 થી 48 વર્ષ સુધી લગ્ન કરવા જોઈએ જેની પહેલા આ લોકોને લગ્ન કરવાનું પસંદ નથી હોતું.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને નવી નવી ચીજો કરવી અને નવી નવી તકો ઝડપવી ગમે છે. આથી આ લોકો લગ્નના વહેલા શિકાર બની જાય છે અને જેના માટે આ લોકો વહેલી તકે લગ્ન કરી લે છે અને આ લોકોને મોટાભાગે લગ્ન કરીને સેટલ થવામાં ખાસ રસ હોતો નથી પણ આ લોકો એમ જ પહેલા રમતની જેમ લગ્ન કરી લેતા હોય છે અને આમ છતાંય તેમણે લાઈફમાં 35 થી 39 વર્ષની વચ્ચે લગ્ન કરી લેવા જોઈએ.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે 28 વર્ષની ઉંમર એ પરણવા માટેની બેસ્ટ ઉંમર પણ આ લોકો આ પ્રમાણે કરતા નથી અને તેઓ આ ઉંમરે પરણી જાય તો તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. પણ તેઓ આ પસંદ કરતાં નથી અને પરિવારમાં કોઈ સુખ સમાચાર મળી શકે છે અને આ સિવાય તેમના પરિવારમાં ઉત્સવનો માહોલ પણ રહેશે અને આ ગાળામાં આર્થિક સંકડામણ ઊભી થાય તો મિત્રો તમારી મદદ કરવા પડખે ઊભા રહેશે.