લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજકાલ લગભગ સો માંથી નેવું ટકા લોકોને કબજિયાતની તકલીફ હોય છે. તેનું મુખ્ય કારણ છે પ્રોસેસ ફૂડ અને બજારો ખાણીપીણી. આજના જમાનામાં દરેક લોકોને બજારૂ ખાવાનો ખૂબ જ પસંદ હોય છે, અને જેના કારણે પેટને લગતી સમસ્યાઓનો વધારો થઈ જાય છે. ઘણા બધા એવા ખોરાક છે કે જેના સેવન કરવાથી તરત જ પેટા ખરાબ થવાની સમસ્યા થાય છે. જેમ કે, તળેલા ખોરાક અને ચોકલેટ, પ્રોસેસ ફૂડના કારણે કબજિયાત થવાની શરૂઆત થઇ જાય છે.
અને તે ધીમે ધીમે ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે, અને ખૂબ જ એ બીજા અનેક રોગોનું મૂળ છે. જો તમે કબજિયાત ને નહીં ઘટાડો તો બીજા શરીરમાં ઘણા બધા રોગો પ્રવેશ કરી શકે છે. આજે આપણે જાણીશું કે કબજીયાતથી પીડાતા લોકો માટે એક એવી દવા છે કે જેનાથી કબજિયાત તરત જ દૂર થઈ જાય છે અને મળ એકદમ સાફ આવે છે.
તાંદળજો એ કબજિયાતના દુશ્મન તરીકે ઓળખવામાં આવે છે. તાંદળજો સ્વાદમાં મીઠો, તૂરો અને સહેજ ખારાશ પડતો હોય છે. તેમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. એ તાંદલજાની ભાજી મોટાભાગે દરેક લોકો કરતા હોય છે. ચોમાસામાં અને ઉનાળામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે તાંદળજો ખાવાથી કબજિયાત મૂળમાંથી નાબૂદ થઈ જાય છે. તાંદળજો આંતરડાંમાં મળ ચોટી ગયો હોય તો તેને ઉખાડીને બહાર કાઢવા માટે મદદ કરે છે.
તાંદળજાનો રસ કાઢીને પીવાથી અથવા તો તેની ભાજી બનાવીને તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે. આ ઉપરાંત તમને જો પેટમાં ગરમી હોય તો તાંદલજાના રસમાં સાકર મેળવીને પીવાથી ગરમી ઓછી થાય છે.
તાંદળજો સવાર-સાંજ પીવાથી રક્તપિત્ત અને પિત્ત વિકાર મટે છે અને ઝાડા દ્વારા લોહી નીકળતું હોય તો તે તરત જ બંધ થઈ જાય છે. તાંદળજાની ભાજીને બાફીને ખાવાથી અથવા તો તેનો રસ કરીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે. ચહેરો ચમકી ઊઠે છે. અને દાઝ્યા હોય તો તરત જ તાંદળજાની ભાજીનો રસ લગાવવાથી ઘા તરત જ મટી જાય છે અને જો મુઢીયુ ગૂમડું થયું હોય તો તાંદલજાના પાનને પેસ્ટ બનાવીને ગૂમડાં પર લગાવવાથી તે તરત જ પાકી જાય છે અને ફૂટી જાય છે.
શરીરમાં કોઈપણ જાતની ખંજવાળ આવતી હોય તો તાંદળજો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જૂનામાં જૂના સ્ત્રી રોગમાં ફાયદાકારક માનવામાં આવે છે. કોઈપણ માણસને તાંદળજાની ભાજી ખાવાથી તે તરત જ સાજો થઇ જાય છે. આ ઉપરાંત તાંદળજાની ભાજી ખાવાથી પેશાબની બળતરા થતી હોય તો તે તરત જ મટી જાય છે.
તાંદલજામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, બી અને સી હોય છે. તાંદળજાની ભાજી બનાવતી વખતે ઘી માં હિંગનો વઘાર કરો અને તે ખૂબ જ ફાયદાકારક થાય છે આ ઉપરાંત જો પિત કફમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અને આંખને લગતી કોઇપણ સમસ્યા માં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે વ્યક્તિને આંખના નંબર હોય તે વ્યક્તિએ તાંદળજાનું સેવન કરવું જોઈએ.