લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમ તો ઉંદર દરેક ઘરમાજ જોવા મળે છે.પણ ઉદરોનું કઈ કહેવાય નય આજ કાલ એ બધેજ જોવા મળે છે.મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે ઉંદરનો આતંક ખુબ જ અસહ્ય હોય છે. જો ઘરમાં ઉંદર આવી ગયા હોય તો આખા ઘરની પથારી ફરી જાય. કોઈ પણ વસ્તુને કોતરી કાઢવી એ ઉંદરનું કામ છે અને આપણા ઘરમાં તો ઘણી કિંમતી વસ્તુઓ પડી હોય છે.જેનો ઉંદર રહેવાથી નુકશાન થવાનો ભય રહે છે.પરંતુ જો ઉંદરનો આતંક રસ્તા પર વધી જાય તો શું થાય.તે ક્યારેય વિચાર્યું છે.
આજે અમે તમને જણાવશું એક એવી જ ઘટના વિશે. જેના જાણીને તમે ખુબ જ આશ્વર્ય પામશો. આમ જોઈએ તો ઉંદરના આતંક માત્ર સામાન્ય માણસના ઘરમાંજ નહીં, પરંતુ મોટી-મોટી ઑફિસોમાં પણ લોકો હેરાન થઈ ગયા છે.પરંતુ જ્યારે તમે આ ઉંદરને ખતમ કરવા પર કરવામાં આવેલા સરકારી ખર્ચ વિશે જાણશો,તો તમને પણ આશ્ચર્ય થશે.કે એટલો બધો ખર્ચ હકીકતમાં તમને જણાવીએ કે ભારતીય રેલ્વેના ચેન્નઈ વિભાગ દ્વારા દરેક ઉંદરને પકડવા માટે આશરે 22,300 રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.
તો ચાલો જાણીએ તેની સાચી હકીકત.અમે તમને જણાવી દઈએ કે એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ આ ચોંકાવનારો ખુલાસો RTI ની જેમ કરવામાં આવ્યો છે.એટલું જ નહીં RTI માં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ક્યાંથી અને કેટલા ઉંદરો પકડાયા છે.જોકે હવે આ વિશાળ રકમ અંગે કોઈ પણ વ્યક્તિ જવાબ આપવા તૈયાર નથી.જેનો રેલવે પાસે પણ કોઈ જવાબ નથી.આ સિવાય મળતી માહિતી અનુસાર મે 2016 થી એપ્રિલ 2019 સુધીના 3 વર્ષમાં અહીં ઉંદરોને પકડવા માટે આશરે લગભગ 5 કરોડ 89 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આટલા બધા પૈસાનો ખર્ચ કર્યા બાદ પણ માત્ર 2636 જ ઉંદર પકડાયા હતા. આ પછી પણ, હજી ઉંદરનો ત્રાસ ખત્મ થયો નથી અને ઉંદરને પકડવાની કામગીરી પણ હજી શરૂ છે.ખુબ જ મોટા-મોટા ઉંદરના ભયના કારણે પાર્સલ વિભાગમા તો હાહાકાર મચી ગયો છે. બીજા અનેક વિભાગોમાં લાખોનું નુકસાન થયું છે.આમ જોઈએ તો આ પહેલીવાર નથી થયું.પહેલા પણ ઘણા સરકારી વિભાગોમાં આવા આશ્ચર્યજનક ખર્ચ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ વિશે વાત કરીએ તો RTI માં ક્યાં વિભાગમાંથી કેટલા ઉંદર પકડાયા છે તે વિશે પણ જણાવવામાં આવ્યું હતું.આ વિશે જાણવા મળતી માહિતી મુજબ, ચેન્નઈ સેન્ટ્રલ, ચેન્નઈ એગમોર, ચેંગલપટ્ટુ, તામ્બરમ અને જોલરપેટ રેલ્વે સ્ટેશન પર લગભગ 1715 ઉંદર પકડાયા છે. જેમ કે રેલ્વેના કોચિંગ સેન્ટરથી 921 ઉંદર પકડાયા છે, આ સિવાય ચેન્નઈ ડિવિઝનએ ઉંદર પકડવાને બદલે સરેરાશ 22,344 રૂપિયાનો ખર્ચ કર્યો છે.
વધુમાં જાણવા મળતી માહિતી અનુસાર ચેન્નઈ રેલ્વે વિભાગના અધિકારીઓ આ લાંબા બિલ અંગે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી.એટલા પૈસા ખર્ચવા છતાં ઉદરનો ત્રાશ હજી ગયો કેમ નથી.ઉંદરને પકડવાના મિશનમાં ખર્ચવામાં આવેલી આ વિશાળ રકમથી દરેકને ખુબ જ આઘાત લાગ્યો છે. ક્યાં અને કેટલા પૈસા ખર્ચાયા તેના વિશે એક પણ અધિકારી આ મામલે જવાબ આપવા તૈયાર ન હતા.આ વાતથી અધિકારીઓ પણ અજાણ છે.