લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઘણીવાર આપણે રસ્તા પર જતાં હોય તો રસ્તા પર સિક્કો કે નોટ પડેલી દેખાઈ છે. ઘણા લોકો પૈસાને જોઈને તેને તરત જ લઈને પોતાના ખિસ્સામાં રાખી દે છે. જ્યારે ઘણા લોકો એવું જ છે કે તે કોઈ પારકી અમાનત છે એટલે આપણો હક તેના પર નથી. એટલે તે સિક્કાને ઉઠાવતા નથી. ઘણા લોકો એવું વિચારે છે કે રસ્તા પરથી પૈસા મળ્યા છે તો કોઈ મંદિરમાં મૂકી દેવા અથવા તો ગરીબને દાન કરી દેવાં જોઈએ.
ઘણી વખત આપણે ઘરની બહાર નીકળ્યા ત્યારે રસ્તામાં સિક્કો મળે તો તેને તરત જ લઈને તિજોરીમાં રાખવાથી ખૂબ જ ફાયદો થાય છે. એવું કહેવામાં આવે છે કે જો રસ્તા પર સિક્કો મળે તો એ આપણા પૂર્વજોના આશીર્વાદ સમજીને આપણે તીજોરીમાં મુકી દેવો જોઈએ. ભગવાન તમારા પર રાજી થયા છે અને તમે હવે તમારું ભાગ્ય હવે ખૂલવાનું છે.
આપણે જાણીએ છીએ કે સિક્કો એક ધાતુથી બનેલી વસ્તુ છે. ધાતુમાં સાક્ષાત્ લક્ષ્મીજી બિરાજમાન છે એટલે આપણે આપણા ખિસ્સામાં રાખી દેવું જોઈએ. ઘણી વખત આપણે ખૂબ જ મહેનત કરવા છતાં અને ખૂબ પરિશ્રમ કરવા છતાં પણ કોઈ કાર્ય પૂરું થતું નથી, અને જો તમને રસ્તા પર સિક્કો મળે તો તેને શુભ સંદેશ માનીને તેને રાખી દેવું જોઈએ અને તમારું જે કાર્ય અધૂરું છે તે થોડાક સમયમાં જ પૂર્ણ થવાનું છે તેવો સંકેત મળે છે.
જો રસ્તા પર સિક્કાને બદલે ચલણી નોટ મળે તો તેને અશુભ માનવામાં આવે છે, તેનો તને ક્યારેય ઉઠાવી ન જોઈએ નહિ તો તમારી પડતી થવાની શરૂઆત થઇ જશે.
જે વ્યક્તિના પૈસા ખોવાઈ ગયા છે તેની ઊર્જા તેના સિક્કા ઉઠાવવાને કારણે આપણામાં આવી જાય છે જો તે નકારાત્મક વિચાર તો કહે તો આપણને ખૂબ જ નુકસાન થશે અને જો તે સારું ચાલતું હશે તો તે આપણને થોડા સમયમાં લાભ થશે.