લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણા હિન્દૂ ધર્મમાં તુલસી ના છોડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે.સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પૂજા કરવામાં આવે છે.તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે પરંતુ પૌરાણિક મહત્ત્વથી અલગ તુલસી એક જાણિતી ઔષધિ પણ છે,જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે.શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે.
તુલસીને પવિત્ર છોડનું શિર્ષક મળેલુ છે.તુલસીનો છોડ એક એવો છોડ છે જે ભારતમાં લગભગ દરેક ઘરમાં જોવા મળે છે.તુલસીને ઘરોમાં રાખવાથી શુભ માનવામાં આવે છે.ઘર આંગણામાં રહેલ તુલસી નો છોડ અનેક દેવીય ગુણો થી ભરપૂર હોય છે.તુલસીના છોડ અંગે ગ્રંથો માં પણ અનેક વાતો લખાયેલી છે અને તેને ઔષધની ખાણ પણ ગણવામાં આવે છે.તમને જાણીને નવાઈ લાગશે કે સંસ્કૃત ભાષામાં તુલસી માતાને હરિપ્રિયા નામથી ઓળખાવામાં આવ્યા છે.પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે કે આ ઔષધી મૂળ થી વિષ્ણુ ભગવાન નું મનસન્તાપ દુર થઇ ગયુ હોવાથી તેને હરિપ્રિયા નામ મળ્યું હતું.
શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે તુલસીના મૂળમાં ચારેય તીર્થધામ હોય છે તથા તેના મધ્ય ભાગમાં દેવી દેવતા નો વાસ હોય છે.તુલસીના ઉપરના ભાગમાં વેદો હોય છે તેથી દરરોજ તુલસી ના દર્શન કરવા જોઈએ, આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ અને બધા પાપ દૂર થાય છે.આ ઉપરાંત તુલસી ની પૂજા કરાવાથી મોક્ષ પ્રાપ્ત પણ થાય છે.દેવોની પૂજા હોય,શ્રાદ્ધ હોય અને કોઈ પણ દેવી દેવતા ને ભોગ ચાડવાનો થતો હોય તો તુલસી ના પાન અવશ્ય મુકવા જોઈએ અને હા ભગવાન વિષ્ણુ ને કોઈ ભોગ નઈ ધરાવો તો પણ ચાલશે પણ એક તુલસી પાન ચડાવશો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇ જાય છે.તુલસી પાન થી વ્રત,યજ્ઞ,જપ,હોમ,હવન કરવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે.
તુલસી થી જોડાયેલ એક એવો ઉપાય બતાવીશુ જેનો ઉપયોગ કરવાથીતમારા જીવનની બધા પ્રકારના કષ્ટ દૂર કરી શકો છો,ધન પ્રાપ્તિ થાય છે અને બધા પાપો થી મુક્તિ મળે છે.આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તુલસી માતાનો એક એવો ઉપાય કે જેથી તમને પણ થશે આ લાભ સામાન્ય રીતે તો આપડે તુલસીની દરરોજ પૂજા કરવી જોઈએ અને તેને જળ ચડાવવું જોઈએ. સવારમાં તુલસી જળ ચડાવતી વખતે જો આ ત્રણ અક્ષરના મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને શુભ ફળ મળશે.
હવે આપણે જાણીવીએ કેવી રીતે બોલાવોનો છે આ મંત્ર,જયારે તુલસી ને જલ ચડાવીએ છીએ અને પછી આપણે તુલસી નું પાન તોડીએ છીએ ત્યારે આ ત્રણ અક્ષર ના મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઈએ અને એમ જ ના તોડવું જોઈએ પહેલાં તમારે બે વાર ચપટી વગાડવી જોઈએ અને ત્યાર બાદજ બોલવા જોઈએ આ મંત્ર.આ મંત્ર ત્યારે જ બોલવામાં આવે છે જ્યારે આપણે તુલસીનું પાન તોડીએ જેથી તે શુભ માનવામાં આવે છે.
ૐ सुभद्राय नमःૐ सुप्रभाय नमः“ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”
આ મંત્ર બોલવાથી તમને શુભ સમાચાર મળી શકે છે અને બીજી સમસ્યાઓ પણ દુર થશે.જો તમે આ મંત્ર બોલવામાં થોડી તકલીફ પડતી હોય તો તમે તેને ગુજરાતીમાં પણ બોલી શકો છો જેમ કે તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે તમે અમારી સાથે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે.આમ એટલું બોલ્યા બાદ જ તમારે તુલસી ના પાનને તોડવું જોઈએ પછી જયારે પણ તુલસીને જળ અર્પિત કરો તો આ મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઇએ.“महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”
હિન્દુ ધર્મની અંદર તુલસીને એક માતાના સ્વરૂપમાં પૂજવામાં આવે છે માટે સવારે નાહી ધોઈ ને તુલસીની પૂજા કરતા હોય છે.આ ઉપરાંત તુલસી પર જળ ચઢાવતા દરમિયાન આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ.સવારે તુલસીની પૂજા દરમ્યાન આ મંત્ર ઉપરાંત તમારે તુલસીજી ને સિંદૂર અને હળદર ચડાવવા જોઈએ આ ઉપરાંત તુલસીજી પર કાચું દૂધ પણ ચડાવી શકીએ છીએ.આમ કરવાથી તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
આ પૂજા વિધિ કરાયા બાદ તમે તુલસીજીના ક્યારેક ઘી નો દીવો પણ કરો જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ થાય.આજ રીતે તમે સાંજે સુર્યાસ્ત સમયે પણ તુલસીજીને ક્યારે દીવો પ્રગટાવી શકો છે પરંતુ આ દરેક બાબતમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાનને ભૂલથી પણ ભગવાન શિવ ને ન ચડાવવા જોઈએ.કારણ કે ભગવાન શિવને બીલી પત્ર ચડાવવામાં આવે છે માટે તુલસીના પાન ચડાવવું તે શુભ ગણવામાં આવતું નથી.
જો તમને ક્યાંય ઇજા થઇ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘાવ જલ્દી ભરાઇ જાય છે.તુલસીમાં એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોય છે જે ઇન્ફેક્શન થતા રોકે છે.તમારા ઘર આંગણામાં તુલસીનો છોડ હોય અને ત્યાં નિત્ય સવાર સાંજ તુલસીની પૂજા થતી હોય તો તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક ઉર્જા નો વાસ થતો નથી અને તમારા ઘરમાં કાયમ માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
તમે અને તમારો ઘર પરિવાર કાયમ માટે રહી શકો છો સુખી અને સમૃદ્ધ.આ ઉપરાંત એકાદશી રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસી ની પૂજા કરવામા આવતી નથી.શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીના પાંદડા ઘણા ફાયદાકારક હોય છે અને નેચરલ હોવાને કારણે તેના કોઇ સાઇડ ઇફેક્ટસ પણ નથી થતા.