લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દોસ્તો કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર વિશ્વમા હાહાકાર મચી ગયો છે અને કેટલાક દેશોમાં ઘણા લોકો પર આ કોરોનાની અસર પડી છે અને તેવી જ રીતે ભારતમાં પણ હાલ દિન પ્રતિદિન કેસમા નિરંતર વધારો થઈ રહ્યો છે અને કેસ પોઝિટિવ આવી રહ્યા છે અને જેના કારણે હાલ સમગ્ર દેશ ની જનતા મા પણ ફફળાટ મચેલો છે. સરકાર દ્વારા લોકોને બહાર ના નીકળવા માટે ની સ્પષ્ટ સુચના આપવામા આવી છે અને 21 દિવસના લોક ડાઉનના નિયમને જાળવી રાખવાનું કહ્યું છે પણ અમુક મહાનુભાવો દ્વારા આ નિયમો નો ભંગ પણ કરવામાં આવતો હોય છે અને તેના પરિણામો પણ ખૂબ જ ખરાબ જોવા મળતા હોય છે પણ અમુક લોકો સમજવા જ માગતા નથી અને નિયમનો ભંગ કરતા હોય છે.
પણ તેની સાથે એવું પણ જણાવ્યું છે કે આ કોરોના વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન અસ્તિત્વ મા આવી નથી તો ત્યારે WHO ની સંસ્થાએ પણ આ જીવલેણ વાયરસ સામે રક્ષણ નો ફક્ત એક જ માર્ગ બતાવ્યો છે અને લોકોને જણાવ્યો છે પણ આ લેખમા તમે જાણશો કઈ છે હાથ ધોવા માટે ની સાચી રીત અને કોરોના શા કારણે વધી રહ્યો છે અને તમારે કેવી સાવચેતી રાખવી પડશે અને કેવી સમસ્યાઓ માથી તમને મળશે મુક્તિ આવી તમામ બાબતો વિશે યોગ્ય અને સચોટ માહિતી આપવાનો પૂરતો પ્રયાસ કરવામા આવ્યો છે અને આ માહિતીનો કેટલાક લોકો અમલ પણ કરી રહ્યા છે.
WHO ના જણાવ્યા મુજબ જો વ્યક્તિ કોઈ સંક્રમિત વ્યક્તિ ના સંપર્કમા ના આવે છે તો પછી અમુક સમય ના અંતરે પોતાના હાથ ધોવાની ટેવ પાડે તો કોરોના થી રક્ષણ મેળવી શકાય છે અને કોરોના આ લોકોથી દૂર થઈ જાય છે અને નષ્ટ પામે છે અને આ માહિતી લોકો સુધી જરૂર ફેલાઈ ગઈ છે અને ઘણા લોકો સુધી કઈ રીતે હાથ ધોવા તેની સાચી અને સચોટ માહિતી પહોચી નથી જેના કારણે લોકોમાં સમજ નથી હોતી અને હાથ ધોવા માટે એક વિશિષ્ટ પદ્ધતિ હોય છે જેનાથી કોરોના નાશ પામે છે પરંતુ આ પદ્ધતિ કોઈ અનુસરતુ નથી અને તે પાછળ નુ કારણ માહિતી નો અભાવ. તો ચાલો આજે અમે તમને આ વિશે ની સચોટ માહિતી આપીએ.
WHO ના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જો હાથ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સારું રહેશે અને આ સાથે સાબુ કે સેનિટાઈઝર જેવા લિક્વિડ નો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જેનાથી હાથમાં રહેલા બધાંજ કિટાનુ નષ્ટ પામે છે અને અંદાજે 20 સેકેન્ડ સુધી બન્ને હાથ ને વ્યવસ્થિત રીતે મસળો અને પછી હાથ ધોવો અને પાણીથી 2 કે 3 વાર હાથ ધોવા જોઈએ અને બાદમાં તેને કપડા કે ડ્રાયર થી સાફ કરવાનુ ભૂલશો નહિ અને હાથ ધોતી વખતે બન્ને હથેળીઓ ને યોગ્ય રીતે ઘસો. બંને હાથ ની આંગળીઓ તથા અંગુઠા ને પરસ્પર મસળો જેથી હાથમાં રહેલો બધોજ મેલ દૂર થઈ જાય અને હાથના પાછળ ના ભાગે પણ સાબુ લગાવો જેથી હાથ ધોયા બાદ સ્વચ્છ કપડા થી હાથ ને લૂછી લો ત્યારબાદ જ જમવું જોઈએ.
આવી રાખવી પડશે વિશેષ સાવચેતી.
જો તમારે આ બીમારીથી બચવું હોય તો તમારે આવી પણ સાવચેતી રાખવી પડશે જેમકે આંખ, નાક કે મોઢા પર હાથ લગાવ્યા બાદ તરત જ તેને ધોઈ નાખવો જોઈએ અને આ મોઢા પર હાથ રાખીને છીંક ખાધી હોય તો તરત જ હાથ ધોઈ નાંખવા જોઈએ કારણ કે તે હાથ બીજી કોઈ જગ્યા પર મુકવાથી કિટાનુ ઉતપન્ન થાય છે અને ભોજન લેતા પૂર્વે હાથ ને સાફ કરવાનુ ભૂલશો નહિ. આ સિવાય અન્ય વ્યક્તિ ના સંપર્કમા આવ્યા બાદ બંને હાથ ને બરાબર સાફ કરવાનુ ભૂલશો નહિ. આ ઉપરાંત શૌચક્રિયા બાદ પણ હાથ ધોવાનુ ભૂલશો નહિ કારણ કે તે પણ નુક્શાન આપે છે અને આ સિવાય કોઈ કેમિકલ ને અડયા પછી પણ હેન્ડ વોશ જરૂર કરવા જોઇએ.
મળશે આવી બીમારીઓથી મુક્તિ.
કોઈપણ કામ કરવામાં આળસ રાખવી જોઈએ નહીં અને આળસ રાખ્યા વગર તમારે હાથ ધોવા જોઈએ અને બેદરકારી રાખવાના કારણે ઈન્ફેક્શન નો ખતરો પણ વધી શકે છે અને જેના કારણે તમારે યોગ્ય રીતે હાથ ધોઈને તમે કોરોના વાયરસના સંક્રમણ માંથી તમે મુક્તિ મેળવી શકો છો અને જો તમને કોરોના વાઇરસ થવાની સંભાવના છે તો પણ તે દૂર થશે અને જો તમે સારી રીતે હાથ ધોશો તો તમને થ્રોટ ઈન્ફેક્શન,ડાયરિયા,ફૂડપોઈઝનિંગ કે લૂઝ મોશન જેવી સમસ્યાઓ થી મુક્તિ મળી શકે છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે અને દિવસમાં 4 થી 5 વાર તમારે અવશ્ય હાથ ધોવા જોઈએ કારણ કે આ સાથે જ જો તમે તમારા સ્વાસ્થ્ય ને કોરોના નામ ની બીમારી થી મુક્ત રાખવા ઇચ્છતા હોવ તો આ 21 દિવસ સુધી ઘરમા રહો અને આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા લોકડાઉન ના નિર્ણય નુ સન્માન કરવું જોઈએ અને તેનો ભંગ કરવો જોઈએ નહીં અને તેમને સહકાર આપવો જોઇએ.